જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રજંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું..
.દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિન નિમિત્તે જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીની આગેવાનીમાં તાલુકા પંચાયત નવા આવેલા પ્રમુખ નીતિનભાઈ પટેલ ( ભોલા ભાઈ ) નગરપાલિકાના પ્રમુખ અમીશાબેન વિરેનભાઈ શાહ તેમજ ભાજપના આગેવાનો દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરાયું ધારાસભ્ય એ દર્દીઓના ખબર અંતર પૂછ્યા
ત્યારબાદ ધારાસભ્ય ડી કે સ્વામી દેશમાં યશસ્વી વડાપ્રધાનનો 73 મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં 73 જેટલા જન ઔષધી કેન્દ્રનું થઈ રહ્યું છે ત્યારે જંબુસર ખાતે ધારાસભ્યને હસ્તે રીબીન કાપી જન ઔષધી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું આ કેન્દ્ર દ્વારા ગરીબ દર્દીઓને સસ્તા ભાવમાં દવાનું વિતરણ કરવામાં આવશે આગામી લોકસભા ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય પ્રાપ્ત કરી પુનઃ વડાપ્રધાન બની દેશની સેવા કરે તે તંદુરસ્ત રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ દેશને આગળ લઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ