જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જિલ્લા આયુર્વેદ શાખાની આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરાવ્યો

આદિજાતી વસ્તી ધરાવતા તાલુકાઓમાં ઘર આંગણે સુવિધા આપવા પ્રથમવાર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરાયો


ભરૂચ- ભરૂચ જિલ્લામાં ઘર આંગણે સુવિધા આપવા પ્રથમવાર આદિજાતી વસ્તી ધરાવતા તાલુકાઓમાં વાનનો આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઝઘડીયા તાલુકાથી શુભારંભ થનાર છે, જેમાં આયુર્વેદ શાખાના મેડીકલ ઓફીસર આદિજાતી વસ્તી ધરાવતા વિસ્તારોના ઘર આંગણે સુધી મેડીકલને લગતી સુવિધાઓ પુરી પાડશે.
જિલ્લા પંચાયત ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા તથા આરોગ્ય સમિતિના ચેરમેન અનિલભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે, જિલ્લા પંચાયત ભરૂચના સદસ્યો, આયુર્વેદ શાખાના અધિકારી ડૉ. વસંત ભાઈ પ્રજાપતિ તેમજ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *