નવયુગ વિદ્યાલય જંબુસર 282મો નિ:શુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં આજરોજ શંકરા હોસ્પિટલ મોગર અને તબક્કલ સોલ્ટ કંપની નાડાના સહયોગથી 282 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો
જેઓને વેલ ,છારી, ઝામર અને મોતિયાના પ્રોબ્લેમ છે તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ મોગર બસમાં લઈ જવામાં આવશે જ્યાં રહેવા, જમવા, મોત્યાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી, દવા, ચશ્મા તથા પરત મૂકી જવાની તમામ સુવિધાઓ મફત રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું