રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન

કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે : પૂ. જ્ઞાનવીર સ્વામી.

બીએપીએસ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ

રામોત્સવના બીજા દિવસે બીએપીએસ ભુંગળ ભજન મંડળનું સુંદર આયોજન

જંબુસર:- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી 2024 અંતર્ગત તારીખ 9 4 2024 થી તારીખ 16 4 2024 સુધી રામોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન લીલોતરી બજાર ખાતે કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે *બીજા દિવસે બીએપીએસ ભૂંગળ ભજન મંડળ બંટી ફળિયા દ્વારા સુંદર કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં બીએપીએસ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

પૂજ્ય જ્ઞાનવીર સ્વામીએ આશીર્વાદ પાઠવતા રામનવમી પર્વ, ચૈત્રી નવરાત્રી અને કીર્તન ભજનનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે* તેમ જણાવ્યું હતું. બીએપીએસ ભૂંગળ ભજન મંડળ બંટી ફળિયા દ્વારા સુંદર ભજનો રજૂ થયા હતા અને સૌને મંત્રમૃગ્ઘ કર્યા હતા…

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો, આગેવાન પદાધિકારીઓ, બીએપીએસ સંસ્થાના હોદ્દેદારો – સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ભક્ત સમુદાય ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *