વડા પ્રધાનશ્રીના જન્મદિવસ અંતર્ગત વિકાસ દિવસ ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ
ભરૂચમા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી કરાઇ જે અન્વયે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ જેમા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તબક્કે પ્રથમ ક્રમે શ્રીમતી ભાવીકાબેન સોની બીજા ક્રમે શ્રીમતી મરસી રીજો તથા તૃતીય ક્રમે મિસબા પઠાણ વિજેતા બન્યા હતા તમામને જિલ્લા સહમંત્રી ઉર્મિલાબેન પઢીયાર તથા જેએસએસ ભરૂચના નિયામક શ્રી ઝયનુલઆબેદીન સૈયદના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નહેરુ યુવા કેન્દ્ર નાં ડોલીબેન તથા મનિષભાઇ દ્વારા કરાયું હતું.