નવયુગ વિદ્યાલય જંબુસરમાં BAPS ના યુવાનો દ્વારા કાર્યક્ર્મ યોજાયો
શ્રી બીપીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સારંગપૂરમાં અભ્યાસ કરી તાલીમાર્થી તરીકે શ્રી ધવલભાઈ બારૈયા તથા શ્રી સહજભાઈ મહેતાએ શાળાના બાળકોને એકાગ્રતા, આત્મવિશ્વાસ, શિસ્થ, પુરુષાર્થ, પ્રાર્થના થી સફળતા વિષય ઉપર પ્રેરણાદાયી જીવનનું ભાથું પીરસ્યું હતું.
શાળા પરિવારે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું જ્યારે શ્રી બીપીનભાઈ પટેલે શાળાના આચાર્યને બે ધાર્મિક પુસ્તકોની ભેટ આપી હતી.
અંતે શાળા પરિવાર અને શાળા મંડળે બાપ્સ પરિવારનો આભાર માન્યો હતો.