સુરત:- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા અધ્યાપક સહાયકોના પગાર વધારા મુદ્દે રજીસ્ટર ને આવેદનપત્ર અપાયું જેમાંસરકારશ્રીએ અધ્યાપક સહાયકોની નોકરી સળંગ ગણી તે બદલ અધ્યાપક સહાયક શૈક્ષિક સંઘ આભાર ની લાગણી વ્યક્ત કરે છે. રાજ્યના અન્ય ફિક્સ પગારના કર્મચારીઓને સાતમા પગાર પંચના બેઝિક પગારમાં 30 ટકા જેટલો પગાર સુધારણા નો લાભ આપ્યો છે તો એ જોગવાઈ પ્રમાણે અનુદાનિત કોલેજોમાં પણ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને પણ યોજી સીના સાતમા પગાર પંચ પ્રમાણેના બેઝિક પગારમાં 30 ટકા જેટલો પગાર વધારાનો લાભ તારીખ 1/10/2023 થી આપવામાં આવે એવી શૈક્ષણ તરફથી લાગણી અને માંગણી છે.જેને લઇ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા અધ્યાપક સહાયકોના પગાર વધારા મુદ્દે રજીસ્ટર ને આવેદનપત્ર અપાયું હતું.