સુરત:_એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગતા ૨૧/૦૩/૨૦૨૪ ના સાંજે ૦૫:૧૫ કલાકે એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, કમિટીના સભ્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણી, ડૉ. હિતેશભાઈ વાધેલા, ડૉ. ભરતજી ઠાકોર, ડૉ.યશોધારાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર દ્વારા એન્ટીરેગીંગની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે તે અંગેની સંપૂર્ણ કાર્યવાહી થાય તે હેતુસર આ બેઠકમાં વિવિધ કોલેજોમાં નવા સત્રમાં પ્રવેશ મેળવ્યા બાદ એન્ટીરેગીગની જાણકારી આપવામાં આવે તથા જે-તે કોલેજની સ્થાનિક કમિટીની રચના કરવામાં આવે અને તેની માહિતી વિશ્વવિદ્યાલયના એન્ટીરેગીંગ સેલને મોકલવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વધુમાં કુલપતિશ્રીના અધ્યક્ષ સ્થાનેથી નવા વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં એન્ટીરેગીંગ સેલ અંગેના અભિમુખતા કાર્યક્રમ યોજવા અંગેનું સુચન કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજ/સંસ્થાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪ના એન્ટીરેગીંગ અંતર્ગત જીઓટેગ દ્વારા ફોટો, માહિતી તેમજ વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમોના અહેવાલ અંગેની માહિતી મંગાવવા અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો, બેનરો તથા સૂચનોના બોર્ડ બનાવવા માટેના ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.